ગુજરાતી થાળી પુરાણ - ૨
રીલીફ રોડ ઉપર ક્લાયન્ટ સાથે એક થાળી જમવા ગયેલા. નોર્મલી થાળીમાં અગણીત વાટકીઓ મુકાણી અને ધમાધમ પીરસણીયાઓ શરૂ થયા...
જમવાની શરૂઆત જ કરી હતી ત્યાં એમના કેપ્ટન આવ્યા. અને પુછપરછ કરી કે બધું બરાબર છે? કેમ લાગે છે તમને?
જવાબ આપ્યો ભાઇ તમે તો એવી રીતે જમાડો છો.જાણે ભગવાન જેવું લાગે છે.
પાર્ટી મુંઝાઈ ગઈ: કેમ ભગવાન જેવું?
મેં કીધું કે અરે પ્રભુ જેમ ભગવાનને નૈવેદ્ય ધરીએ ત્યારે કેવી નાની નાની વાટકીમાં પ્રસાદ ધર્યો હોય એમ લાગે છે. દેખાય બધું
પછી વાટકી બદલાવી આપી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો