સમય પાલન ક્યારેક(!!) ઉપયોગી પણ નીવડી શકે (આમ તો હંમેશા)
હું એક NGOનો ૧૯૯૮માં નવો નવો સદસ્ય બન્યો હતો. અને એક ગુરૂવારે સર્ક્યુલર આવ્યો કે Fortune 500 કંપનીઓના કન્સલ્ટન્ટસ સાથે એક કલાક મેનેજમેન્ટના વિષયો પર વાર્તાલાપ.
વાર: રવીવાર અને સમય: બપોરના ૩.૦૦ થી સાંજે ૪.૦૦
પહેલી હરોળમાં સીટ્સ મળે અને શાંતીથી એમનો વાર્તાલાપ સંભળાય એ માટે રવીવારે બપોરના ૨.૪૦ વાગ્યે પહોંચી ગયો. હોલ બહાર તો સન્નાટો. થયું કે હું જ છેલ્લો હોઈશ અને બધા ગોઠવાઈ ગયા હશે.
અંદર જઈને જોયું તો હોલ ખાલી હતો. ૨.૫૦ જેવો સમય થવા આવ્યો. હજુ તો બેઠક વ્યવસ્થા ઠીક કરાવું ત્યાં ૨.૫૫ એ તમામ દિગ્ગજ મહેમાનો આવી પહોંચ્યા.
એમણે પરિસ્થિતિ જોઈ અને એક જ સેકન્ડમાં નિર્ણય લીધો. કે વક્તાઓ ત્રણ અને શ્રોતા એક? સ્ટેજ ઉપર તો નહી બેસીએ. પણ એક રાઉન્ડ ટેબલ પર ગોઠવાઈ ગયા. અંદાજે પચાસ મિનિટ અમે ચાર (આમ તો એ ત્રણ વાતો કરતા રહ્યા અને હું સાંભળીને સમજવાનો પ્રયત્ન) પણ ઘણું જાણવા મળ્યું. અને છેલ્લી દસ મિનિટ બાકી હતી ત્યાં સંસ્થાના પ્રમુખ, સેક્રેટરી અને ચાર-પાંચ સદસ્યો આવી ચડ્યા.
પછી એ સ્પીકરે લોકોનું માન રાખતાં કહ્યું કે કોઇ પણ બે સવાલના જવાબ આપશું. કારણ હવે ચાર વાગવા આવ્યા છે અને ૪.૩૦ થી ૬.૩૦ અમારે રામકૃષ્ણ આશ્રમમાં સેશન છે. બાકી જે જાણવા જેવું હતું તે મિતેષને જણાવ્યું છે એની પાસેથી જાણી લેજો.
ખરેખર દિગ્ગજો જ હતા. એમના નામ અંહી રજુ નથી કરતો. અને એ તમામ દિગ્ગજો રાજકોટ રામકૃષ્ણ આશ્રમમાં બે દિવસના સેશન માટે જ આવેલ હતા. અને એમના ખાલી સમયમાંથી એમણે મુશ્કેલીથી એક કલાક ફાળવ્યો હતો.
#આ_તો_એક_વાત
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો