હોમ

બુધવાર, 10 સપ્ટેમ્બર, 2014

ફીયર ઇઝ ધ કી - ગુજરાતી પુસ્તક રીવ્યુ

ઓલ્ડ ઇઝ ગોલ્ડ - વાંચવા જેવું એક પુસ્તક અને એવા જ જોરદાર લેખક.

ફીયર ઇઝ ધ કી - લેખક એલીસ્ટર મેક્ક્લેઈન. ૧૯૬૧માં લખાયેલી આ સુપર સક્સેસ નોવેલ છે.

બેધીસ્કેફ - આવા કોઈ સબમર્સીબલ વાહનનું નામ આપણે કદાચ જ સાંભળ્યું હશે. આ એક એવું સબમરીન ટાઈપનું વાહન કે ૧૯૪૬-૪૮ દરમ્યાન ઉંડા સમુદ્રમાં શોધખોળ અને અભ્યાસમાં કામ આવે તે હેતુ વિકસાવવામાં આવેલું. અને ૧૯૬૦ની શરૂઆતમાં ૩૫૦૦૦ ફીટની ઉંડાઈ સુધી તે પહોંચેલું. આ સમાનવ વાહન હતું.

વેલ.. આ વાહનનો ઉલ્લેખ એટલા માટે કર્યો કે ફીયર ઈઝ ધ કી પુસ્તકમાં આ વાહન પણ એક અગત્યનો ભાગ ભજવે છે. અગાઉની પોસ્ટમાં લેખકના પરીચયમાં લખેલું કે તેઓએ નેવી સૈનિક તરીકે ૧૯૪૧-૪૬ સેવા આપેલી અને તેમની ઘણી નવલકથાઓમાં સમુદ્રને વિસ્તૃત રીતે કોઇ ને કોઇ રીતે રજુ કરતા. આ નવલકથામાં પણ એનો વિસ્તૃત ઉલ્લેખ છે જ.

૧૯૫૮ના સમયગાળાની આ વાત છે.

જહોન ટાલ્બોટ - પાયલોટ કમ એર ચાર્ટર કંપનીનો માલીક. ફ્લોરીડામાં એની ઓફીસમાં બેઠો એમના એક વિમાનને રેડીયો કોન્ટેક્ટ કરવાનો સતત પ્રયાસ કરતો હોય છે અને થોડી ક્ષણો માટે કોન્ટેક્ટ થાય પણ છે. અને હજી વાત શરૂ થાય તે દરમ્યાન, અન્ય વિમાન એટેક કરે છે અને જહોન ટાલ્બોટની દુનિયા બરબાદ થાય છે.

એ વિમાનને શું થયું? એ શું કામ થયું? તેની શોધખોળ અને તે કરાવવા પાછળ ક્યું ષડયંત્ર રચાણું? એના રચયીતા કોણ હતા? એ ઘટનાક્રમ અત્યંત રસપ્રદ રીતે રજુ થયો છે.

કોર્ટમાં જહોનને રજુ કરવામાં આવે છે અને તે સમયે ધનાઢ્ય ઓઈલ રીગના માલીક જનરલ રુથ્વેનની દીકરી મેરીનું અપહરણ કરી જહોન ત્યાંથી ભાગે છે. હર્મન જેબ્લોન્સ્કી - જે પોલીસ અધીકારી છે તે મેરીને સુખરૂપ છોડાવવા સતત એમની પાછળ પડે છે. અને જહોનને પકડી એ જનરલને હવાલે કરે છે.

જેબ્લોન્સકી જ્યારે જનરલને મળે છે ત્યારે ખ્યાલ આવે છે કે જનરલ કોઇ પ્રેશરમાં હોય તેમ વર્તન કરે છે કારણ તેમના બીઝનેસ એસોસીએટ્સ સતત પડછાયાની જેમ એમની સાથે જ હોય છે.

ડીટેક્ટીવ જેબ્લોન્સકીનું ખુન અને ઓઈલ રીગ ઉપર પહોંચ્યા બાદ બેધીસ્કેફની ઉંડા સમુદ્રની સફર.

વિમાનમાં રહેલ કિંમતી સામન અને તેનું રહસ્ય...

વેલ બાકી તો આ પુસ્તક વાંચવાની મજા મરી જશે જો અંહી લખીશ તો.

જેટલું રસાળ વર્ણન, પ્લોટ અને શૈલી મુળ અંગ્રેજીમાં છે. તેટલી ઉત્ક્ટ રસ ભરી શૈલી શ્રી અશ્વીની ભટ્ટ સાહેબ અનુવાદીત ગુજરાતી નોવેલમાં છે.

આ નોવેલ ઉપરથી ૧૯૭૨માં બ્રીટનમાં મુવી પણ બનેલું.

વેલ અત્યાર સુધી તો અનુવાદીત પુસ્તકો પરીચય આપ્યો છે. થોડા સમય પહેલાં એક ઐતિહાસીક ઘટના ઉપરથી અને ઉંડાણપુર્વકના રીસર્ચ બાદ લખાયેલી સત્ય ઘટ્ના ઉપરની એક ગુજરાતી નવલકથા વિશે હવે પછી.

આભાર.