હોમ

શુક્રવાર, 28 સપ્ટેમ્બર, 2012

બે બોધ કથા - Two Moral Stories.


વાર્તા - ૧

ધર્માંધતા અને વિવેકભાન વગર આજે લોકો ખરા ખોટા સંપ્રદાય પાછળ દોડે છે તે અનુસંધાને અને આ બાબા બાબા અત્યારે જે ચાલી રહ્યું છે આ’શ્રમ’ ન કરવો પડે એટલે આશ્રમ બનાવે વગેરે.. એક વાર્તા ક્યાંક વાંચેલી તે યાદ આવે છે.

એક સરસ આશ્રમ અને એમાં મોટી ગુરૂજીની સમાધિ. ગામો ગામથી લોકો આવે અને ચઢાવો આપે. ગાદીપતી એકદમ સમૃદ્ધ. હવે એનો એક ચેલો. ભારે ભક્તિ વાળો. દિવસ રાત જોયા વગર સેવા કરે. દસ વરસ ખૂબ સેવા કર્યા પછી ગાદીપતિને કહે કે મને પણ આશીર્વાદ આપો, કાંઈક પ્રમોશન આપો. મારો પણ ઉદ્ધાર થાય.

ગાદીપતી ગુસ્સે થયા. અને ખૂબ ખીજાણા... બે-શરમ, નાલાયક કામ કર તારું. મજૂરીને જ લાયક છો. ન જોયો પ્રમોશન વાળો. મહીના પછી ચેલો પાછો ગયો... એમ કે ગુરુજી હવે ઈંડા પડી ગયા હશે. ત્યાં તો ગુરુજી ડબલ ગરમ... ગ્રેચ્યુઇટી પકાવી જ દીધી. એક મરેલ જેવો ગધેડો આપીને ચેલાને કાઢી મૂક્યો.... અને ધમકી પણ આપી ખબરદાર આંહીં બીજી વાર દેખાયો તો.. તારી ખેર નથી.

ચેલો મૂંઝાયેલો... હ્રદયભંગ થઈ ગધેડો લઈને ચાલી નીકળ્યો. નસીબ પણ બે ડગલા આગળ. ૫-૭ કિલોમીટર આગળ ગયો ત્યાં તો ગધેડો મરી ગયો.

ચેલો મુંઝાણો... એણે રસ્તો કાઢ્યો. એ ગધેડાની સમાધિ બનાવી. પ્રસાદનો તો હતો એટલે. અને સમાધિ જામવા માંડી. લોકો આવવા માંડ્યા.. આજુબાજુમાં દુકાનો, હોટેલો બનવા માંડ્યું અને પાંચ વરસમાં તો યાત્રાધામ બની ગયું. ચમત્કાર ફેલાવા લાગ્યો. અને મૂળ બાબાના આશ્રમમાં મંદી આવી ગઈ. ભક્તો હવે નવા ધામમાં જ જાય.

ગુરુજી તપાસ કરવા ગયા કે આ નવો ગુરુ કોણ છે? ત્યાં ગયા પછી આશ્ચર્ય અને આનંદનો આંચકો લાગ્યો. બન્ને ઘણા વરસ પછી મળેલા એટલે સુખ દુખ ની વાતો કરી અને ચેલા એ ગુરૂજીનો આભાર માન્યો. પણ ગૂરૂજીનું જે કુતૂહલ હતું તે તો યથાવત્ જ હતું. એણે પૂછ્યું કે આ ચમત્કારી બાબા કોણ છે કે જેની સમાધિ પર તું એટલો સમૃદ્ધ થયો?

ચેલો કહે ગુરુજી આપની સમક્ષ કોઈ જ પડદો નહી. એ તો તમે આપેલ પેલો ગધેડો... બીજું કોઈ નહી. પણ ગુરુજી આપના ધામમાં જે સમાધિ છે તે ક્યા મહાનુભાવ છે??

ગુરુજી કહે કે તેં પેટ છુટ્ટી વાત કરી તો મને પણ કહેવા જ દે. તને જે આપેલ ને તે ગધેડાના બાપની સમાધિ મારે ત્યાં છે.

તારી બી ચુપ અને મેરી બી ચુપ.

બોધ: ગુરુ કેવા હોય? અને કોને કરી શકાય? વિવેક જાળવવો જરૂરી છે.

વાર્તા - ૨


એક વાર એક નદી કીનારે ગામ હતું. એક વખત ત્યાં નદી કીનારે તરબૂચના વેલા ઊગી નીકળ્યા હતા. અને મોટા ફળ જોઇ ગામના લોકો ડરતા થયા. નક્કી રાક્ષસનું માથું કે એના જેવું જ છે, એમ પણ દ્રઢ પણે માને. કોઈ જ કીનારે જાય નહી. અને લાંબો રસ્તો પકડી, પોતાની પાણીની જરૂરિયાત માટે જતા થયા.

એક ’જ્ઞાની’ આવ્યો. જઈને કહે કે આમાં ડરો છો શું? જો આતો ફળ છે અને જઈને તરબૂચ ફોડી નાખ્યું, હાથ વડે અને ખાવા લાગ્યો. બધા હવે કીનારે જતા તો ડરતા જ હતા, પણ હવે એ જ્ઞાની’થી પણ ડરવા લાગ્યા. કે લે આતો રાક્ષસનું માથું ખાય છે.

સમસ્યા ત્યાં જ હતી, પછી એક અનુભવી આવ્યો. એણે કેટલાં વેરાયેલા બીજ લઈને પાછાં લોકોની સામે જ નદીના પટમાં નાખ્યા. અને ધીરે ધીરે વેલા થયા, ફળ આવ્યા અને પછી લોકોને સમજાવ્યા. કે આ તો ફળ છે, આહાર પણ કરી શકાય. અને લોકોનો સંશય દૂર થયો.

બોધ: આજે કોઈને સમસ્યા હોય છે તો એ સમસ્યાના સમાધાન માટે કોઈ એના ંમૂળ સુધી જવાનો પ્રયત્ન નથી કરતો.

10 ટિપ્પણીઓ:

  1. Absolutely, world seems an illness and abyss of ignorance.

    Awesome sir!!

    જવાબ આપોકાઢી નાખો
  2. બંન્ને બોધ-કથાઓ ખુબ જ સરસ છે મિતેશભાઇ.
    પ્રથમ વાંચવાની વધારે મજા આવી...

    જવાબ આપોકાઢી નાખો
  3. મોટા ભાગે ગધેડા ગુરુ જલ્દી સફળ થાય

    જવાબ આપોકાઢી નાખો